જગતના અનેક મહાપુરુષો, રાજનેતાઓ અને વૈજ્ઞાનિકો મહાત્મા ગાંધીને પોતાના ગુરુ અને આદર્શ તરીકે માને છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન તેમા એક હતા.
આઇન્સ્ટાઇનનું જીવન અત્યંત જટિલ રહ્યું, કદાચ એમના જટિલ સમીકરણો કરતાં પણ વધુ જટિલ. પણ તેમનું જીવન વૈવિધ્યપૂર્ણ પણ હતું. બાળપણમાં તેઓ એક બુદ્ધિહિન બાળક તરીકે જોવામાં આવતા હતા, ન તો એમના માતા-પિતાને તેમના પ્રતિ આશા હતી, ન તો શિક્ષકોને. માતા-પિતા જે બનાવવા માગતા હતા, તેવા આઇન્સ્ટાઇન ન બની શક્યા.
અભ્યાસ પૂર્ણ થયા પછી બેરોજગારીનો સમય આવ્યો, જેમાં એવી ઘટનાઓ બની કે જેના કારણે સામાન્ય માણસ હિંમત ગુમાવી દેશે. જીવનમાં આવેલા આ બધા અવરોધોમાંથી કોઈ એક પણ નિરાશા માટે પૂરતું હોય, પરંતુ આઇન્સ્ટાઇન કદી નિરાશ નહીં થયા.
તેમનો દરેક પ્રયોગ નોબલ પુરસ્કાર સમાન હતો, છતાં તેમને એ પુરસ્કાર દોઢ દાયકાથી પણ વધારે સમય પછી મળ્યો. આઇન્સ્ટાઇન સમગ્ર વિશ્વને એક કુટુંબ માનતા હતા. ‘વસુધૈવ કૌટુંબકમ’ની ભાવના તેમના હ્રદયમાં વસેલી હતી. આ પુસ્તકમાં તેમના પ્રેરણાદાયી જીવનના ગુણોનો સારાંશ રજૂ કરવાનો વિનમ્ર પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Reviews
There are no reviews yet.