ન મુખ છુપાકે જીયો – દરેક માતા પિતા અને તેમની દીકરીઓ પણ ખાસ વાંચે આ વાર્તા

શરદ ઓફિસમાં હતો ને એના મોબાઈલ ની રીંગ વાગી. એણે જોયું તો એના ફ્રેન્ડ સુહાસનો ફોન હતો.-બોલ સુહાસ, આજે આ કામના ટાઈમે કેમ યાદ કર્યો?-શરદ, બધા કામ છોડીને તરત આરોગ્યધામ હોસ્પિટલ આવી જા.-શું થયું? કોઈને એક્સીડન્ટ થયો છે?-ઇશા, ઈશાને હોસ્પીટલમાં દાખલ કરી છે.-ઈશાને? એને શું થયું છે? શરદ નો જીવ અધ્ધર થઇ ગયો.-ટેન્શન ન લે, શી ઈઝ ફાઈન. તું આવ એટલે બધી વાત કરું. સુહાસે ફોન કટ કર્યો.શરદ બધા કામો પડતા મુકીને હોસ્પિટલ પહોચ્યો. સુહાસ લોબીમાં એની રાહ જોતો હતો.-સુહાસ, પ્લીઝ કહે તો ખરો કે ઈશાને શું થયું છે?-ઇશા મોબાઈલ પર વાત કરતી હતી, તે વખતે ઘરના દાદર પરથી પડી ગઈ. એ તો સારું થયું કે કામવાળી ચમ્પા હાજર હતી, એ અમને બોલાવવા આવી અને હું અને સુષ્મા એને અહી લઇ આવ્યા એટલે તરત સારવાર મળી ગઈ.-‘થેક્સ દોસ્ત.’ શરદે કહ્યું. સુહાસ શરદને ઈશા જે રૂમમાં હતી ત્યાં લઇ ગયો. શરદે જઈને ઇશાને માથે હાથ મુક્યો અને પછી એની પાસે બેસીને એનો હાથ પસવારવા માંડ્યો. ઈશાએ એની તરફ જોયું અને મ્લાન હાસ્ય કર્યું પછી પીડાથી ઉંહકારો કર્યો અને આંખો બંધ કરી, એની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. શરદે ઈશાના આંસુ લૂછ્યા.-ડોક્ટર સાહેબે મળવા બોલાવ્યા છે, સુષ્માએ ધીરે રહીને શરદને કહ્યું. શરદ ઉઠ્યો એટલે સુહાસ પણ એની સાથે જવા ઉભો થયો. બંને ડોક્ટરની કેબીનમાં ગયા. શરદે ઈશાના પતિ તરીકેની પોતાની ઓળખાણ આપી અને ઇશા વિશે પૂછ્યું એટલે ડોકટરે કહ્યું, -ઈશાને મિસકેરેજ થયું છે, અને પ્રોબ્લેમ એ છે કે એ હવે પછી એ ક્યારેય મા બની શકશે નહિ. આ સાંભળીને શરદને માથે જાણે આભ તૂટી પડ્યું, એ હતાશ થઇ ગયો, એને થયું કે પોતે આ સમાચાર ઈશાને કઈ રીતે આપશે? સાંભળીને ઇશા પર એની શું અસર થશે? ડોકટરે અને સુહાસે એને હિમ્મત આપી. શરદ રૂમમાં આવ્યો એટલે ઈશાએ માંડ ખાળી રાખેલા આંસુ ફરી વહી નીકળ્યા.-શરદ, મારા પપ્પા…. ઇશાએ રડતા રડતા વાત કરી, હિબકાને લીધે એ વધુ બોલી ન શકી.-શું થયું તારા પપ્પાને?-પપ્પા ઈઝ નો મોર નાવ..-ઓહ ગોડ ! શું થયું હતું એમને? શરદે સહાનુભૂતિથી પૂછ્યું.-એમણે આત્મહત્યા કરી.-વ્હોટ? ક્યારે? શાના માટે? શરદ અધીરાઈથી પૂછી બેઠો.-શેરબજારમાં એમને ભારે ખોટ ગઈ હતી, એટલે લેણદારોથી બચવા એમણે ગઈ કાલે જ આત્મહત્યા કરી.-તને કઈ રીતે ખબર પડી?-મારી ખાસ ફ્રેન્ડ હેમા નો ફોન આવ્યો એટલે મને જાણ થઇ. ખરેખર તો હું એ સમાચાર સાંભળીને બેધ્યાન થઇ ગઈ અને દાદર પરથી પડી ગઈ. શરદ, મારા લીધે જ આ બધું બન્યું છે, ભગવાન મને કદી માફ નહિ કરે. ઇશા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.-ઇશા, અફસોસ ન કર. જે કઈ બનવા ધાર્યું હોય એ જ બને છે, આમાં તારો કોઈ વાંક નથી.શરદે ભલે કહ્યું કે ‘આમાં તારો કોઈ વાંક નથી’ પણ ઇશા સારી રીતે જાણતી હતી કે આમાં એનો પોતાનો કેટલો વાંક છે. એને યાદ આવી ગયો પોતે ભાગીને લગ્ન કર્યા હતા એ દિવસ. ઇશાએ પોતે શરદના પ્રેમમાં છે એ વાત મમ્મી પપ્પાથી છુપાવી હતી, કારણકે એ જાણતી હતી કે આ લગ્નને મમ્મી પપ્પા કદી મંજુરી નહિ આપે. અને એનું કારણ પણ સ્પષ્ટ હતું, શરદ પરિણીત હતો, એટલું જ નહિ એ એક બાળકીનો પિતા પણ હતો. એ વાત જુદી હતી કે એને એની પત્ની સાથે ફાવતું નહોતું એટલે બંને જુદા રહેતા હતા, બાળકી એની પત્ની પાસે હતી. છૂટાછેડા ની અરજી કરી હતી પણ છૂટાછેડા હજી મળ્યા નહોતા. પણ એક દિવસ ખબર નહિ ક્યાંકથી મમ્મી પપ્પાને આ વાતની ખબર પડી જ ગઈ. એમણે ઓળખીતા મારફત શરદની જાણકારી મેળવી, પછી તો ઘરમાં મહાભારત સર્જાઈ ગયું. ‘તારી અક્કલ બહેર મારી ગઈ છે કે તેં આને પસંદ કર્યો?’ ‘આના સિવાય તને બીજો કોઈ મળ્યો નહિ?’ ‘તને આવા સાથે પરણાવવા કરતા તો કુવામાં ધકેલી દેવી સારી.’ વગેરે વગેરે… પહેલા ઝઘડા, પછી ધમકી અને પછી સમજાવટ. શરુ શરૂમાં ઈશાએ બહુ દલીલો કરી, પછી એ ચુપ થઇ ગઈ. થોડા જ દિવસોમાં મમ્મી પપ્પાએ એને માટે છોકરો શોધવાનું શરુ કરી દીધું. ત્રણ ચાર છોકરાઓની માહિતી મેળવ્યા પછી એક દિવસ છોકરાની મુલાકાત પણ ગોઠવાઈ ગઈ.અત્યાર સુધી ચુપ રહેલી ઈશાને લાગ્યું કે હવે પાણી માથાથી ઉપર જતા રહ્યા છે, કઈ કરવું જોઈએ. એણે શરદને વાત કરી, શરદે બધી વ્યવસ્થા ગોઠવી દીધી. અને જે દિવસે ઇશાની અક્ષય સાથે મુલાકાત હતી એ જ દિવસે ઇશા પોતાનો પાસપોર્ટ અને ક્રેડીટ કાર્ડ લઈને ભાગી ગઈ. એ દિવસે ઘરમાં શું થયું હશે? મમ્મી પપ્પા વચ્ચે કેવો સંવાદ થયો હશે? જે ચિત્ર ઇશાની કલ્પનામા બરાબર બેસતું હતું એ નીચે મુજબ જ ભજવાયું હતું : -બીરેન, સાંજે ઘરે આવે ત્યારે ‘ગોકુલ ચવાણા એન્ડ સ્વીટ’ માંથી સમોસા- પાતરા અને ગુલાબજાંબુ લાવવાનું ભૂલતો નહિ. અને ૬ વાગ્યા સુધીમાં ઘરે આવી જજે. રીમાએ બીરેનની ઓફિસમાં ફોન કરીને સૂચના આપી.-ઓકે મેડમ, આપકા હુકમ સર આંખો પર. બીરેને એની હંમેશની મજાકિયા શૈલીમાં કહ્યું અને ઉમેર્યું –-રીમા, ઈશાને પણ ટાઈમસર ઘરે આવવાનું કહી દેજે. અને એકવાર સુરેખાબેનને ફોન કરીને જાણી લેજે કે એ લોકો અક્ષયને લઈને કેટલા વાગ્યે આવવાના છે. હું સનતભાઈને આપણું એડ્રેસ SMS કરી દઉં છું.-જો હુકમ મેરે આકા. રીમાએ પણ વળતી રમુજ કરતા કહ્યું.બીરેન અને રીમાની એક ની એક દીકરી ઇશા ને જોવા આજે સુરેખાબેન અને સનતભાઈ પોતાના દીકરા અક્ષય સાથે આવવાના હતા. એન્જીનીયર બનીને ઇશા બે મહિના પહેલા જ એક કંપનીમાં જોબમાં જોડાઈ હતી. જ્યારે અક્ષય ડોક્ટર હતો અને બે વર્ષથી એક હોસ્પીટલમાં પ્રેકટીસ કરતો હતો. છોકરા – છોકરીના બાયો ડેટા એક્સચેન્જ કર્યા હતા અને બંને પાર્ટીને સામી પાર્ટી પસંદ આવી હતી. એકવાર છોકરા છોકરી મળીને એકબીજાને પસંદ કરી લે એટલે વાત આગળ ચાલે એમ વિચારી આજે મુલાકાત ગોઠવી હતી. -બધું સમું સુતરું પાર ઉતારજે મા, વાત પાકી થઇ જાય તો અંબાજી દર્શન કરવા આવીશ. મનમાં ને મનમાં માનતા માનીને રીમાએ દીકરીના ઉજ્જવળ સાંસારિક ભવિષ્ય માટે ઘરના મંદિરમાં દીવો કર્યો.-અમારા આગ્રહથી ઇશા પરાણે છોકરો જોવા તો તૈયાર થઇ છે પણ… રીમાને અમંગળ વિચારો આવી રહ્યા હતા. એણે જાપ કર્યા, માળા કરી, મન થોડું સ્થિર થયું એટલે સુરેખાબેનને ફોન કરીને એમના આવવાનો સમય જાણી લીધો. પછી ઈશાને ફોન કરી સમયસર ઘરે આવી જવાનું કહ્યું.-મમ્મી, હું કામમાં બીઝી છું, હું સમયસર ઘરે આવી જઈશ, પણ હવે ફોન કરી મને ડીસ્ટર્બ કરીશ નહિ. ઈશાએ કહ્યું.-ડીસ્ટર્બ તો તેં અમને કરી નાખ્યા છે, રીમાના હોઠ સુધી શબ્દો આવી ગયા, પણ એણે સંયમ રાખીને ફક્ત ‘ઓકે’ કહ્યું.એણે મહેમાનોની આગતા સ્વાગતાની તૈયારી અને ઘરની વ્યવસ્થા મા મન પરોવ્યું. બરાબર છ ના ટકોરે બીરેન રીમાએ મંગાવેલ ચીજ વસ્તુઓ સાથે ઘરમાં દાખલ થયો.-ઇશા આવી ગઈ છે? એને પેકેટ્સ ડાઈનીગ ટેબલ પર મુકતા પૂછ્યું.-ના, હજી નથી આવી.-ઠીક છે, તું એને ફોન કરીને કન્ફર્મ કર, હું જરા ફ્રેશ થઈને આવું છું.રીમાએ ઈશાને ફોન … Read more

દુબઈના આ બહેન-ભાઈ એ YouTube થી કમાવ્યા ૨૦૦ કરોડ જાણો એવું તો શું કરે છે? જાણવા જેવું

These siblings from Dubai earned 200 crores from YouTube

લેના રોઝ દુબઈમાં રહે છે લેના રોઝની નેટ વર્થ લગબગ 3 મિલિયન ડોલર એટલે કે 30 લાખ યુએસ ડોલર એટલે કે લગભગ 200 કરોડ છે. તો ચાલો જાણીએ દુબઈની આ યુ-ટ્યુબ કરોડપતિ વ્લોગર વિષે. તેણીનો જન્મ દુબઈમાં થયો હતો. અને તેણીએ પોતાનો અભ્યાસ લંડનમાં પૂર્ણ કર્યો હતો અને પાછી દુબઈ આવી વસી છે. જો તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવતા હશો અને જો વિશ્વની મોટી મોટી સેલિબ્રિટીની લાઇફસ્ટાઇલ અને અપડેટ્સ ફોલો કરવાનું પસંદ કરતા હશો તો તમારા માટે લેના રોઝ કંઈ અજાણ્યું નામ ન હોવું જોઈએ. તેણીનું સાચું નામ છે પેરિસ્મા બેરેઘડેરી છે અને તેણી ખ્યાતનામ યુટ્યુબ વ્લોગર મો વ્લોગની બહેન છે જેનું મૂળ નામ છે મોહમદ બેરેગડેરી છે. તેઓ દુબઈમાં પોતાની માતા, નાદેરાહ સામિમિ ઉર્ફે નાદિયા સાથે રહે છે. તેમની માતાને લોકો મમ્મી મો તરીકે પણ ઓળખે છે. લેના રોઝ અને મો વ્લોગ પોતાનો અભ્યાસ કરવા લંડન સ્થાયી થયા હતા ત્યાર બાદ પોતાનો અભ્યાસ પુરો કરી તેઓ ફરી પાછા દુબઈ આવી ગયા હતા. કોઈ અજાણ્યા કારણસર તેઓ પોતાના પિતા ઇસ્માઇલ બેરેઘડેરી સાથે નહોતા રહેતા. તેણે જો કે ક્યારેય પોતાના એકપણ વિડિયોમાં પણ પિતાનો ઉલ્લેખ નથી કર્યો કે ક્યારેય તેના વિડિયોમાં તેના પિતા જોવા મળ્યા છે. દુબઈના આ બહેન-ભાઈ એ YouTube થી કમાવ્યા ૨૦૦ કરોડ આજે અમે તમને લેના રોઝ વિષેની કેટલીક હકીકતો જણાવવા જઈ રહ્યા છીએ. લેના રોઝ એક પ્રખ્યાત સોશિયલ સ્ટાર છે તેણી એક આર્ટિસ્ટ, વ્લોગર, અને બિઝનેસવુમન છે. આ ઉપરાંત તેણી એક ખ્યાતનામ યુટ્યુબર મો વ્લોગની બહેન પણ છે. લેના પ્રખ્યાત અને ધનાડ્ય યુટ્યુબરોમાંની એક છે. લેના રોઝને ખ્યાતી પોતાના મેકઅપ ટ્યુટોરિયલ્સ વિડોયોઝથી મળી છે. તેણી અવારનવાર પોતાના આ વિડિયોઝ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. પણ તેણી પાસે માત્ર આ જ એક ટેલેન્ટ નથી. તેણી મેકઅપ આર્ટીસ્ટ ઉપરાંત એક પ્રોફેશનલ ઓઇલ પેન્ટ આર્ટીસ્ટ પણ છે. તમે બધા જાણતા હશો કે લેના એ ઇન્ટરનેટની પ્રખ્યાત સેલિબ્રિટી મો વ્લોગની બહેન છે. તે બન્ને પોતાનો અભ્યાસ પુરો કરવા પોતાની માતા સાથે લંડન શીફ્ટ થયા હતા. પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ બન્ને ભાઈ બહેન પાછા 2015માં દુબઈ આવી ગયા હતા. લેના એક પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામર પણ છે તેણી તેના પર 700000 ફોલોઅર્સ ધરાવે છે અને સાથે સાથે તેણી યુટ્યુબ પર પણ તેટલી જ પ્રખ્યાત છે અને ત્યાં પણ પોતાની યુટ્યુબ ચેલન પર તેણી 583644 સબ્સ્ક્રાઇબર ધરાવે છે. લેના રોઝનો ભાઈ મો વ્લોગ મો વ્લોગ એ હાલ યુ ટ્યુબનો સૌથી વધારે ઝડપથી પ્રખ્યાત થઈ રહેલો દુબઈનો યુ ટ્યુબ સ્ટાર છે. તેની પેતાની યુ ટ્યુબ ચેનલ પર તે લગભગ 40 લાખ સબસ્ક્રાઇબર ધરાવે છે. તેણે હજુ 2013ના સપ્ટેમ્બરમાં જ પોતાનો પ્રથમ વિડિયો અપલોડ કર્યો હતો અને આટલા ટુંકાગાળામાં તેણે ખુબ સફળતા મેળવી છે. જો કે ઘણા ફેન્સ તેની સાથે જોક કરે છે કે તેની હોટ સિસ્ટરના કારણે તેના ફેન્સ તેની ચેનલના સબસ્ક્રાઇબર બન્યા છે. મો વ્લોગ પાસે 2016 મસ્ટાંગ GT કેલિફોર્નિયા સ્પેશિયલ મોડેલ છે. આ અદ્ભુત કાર 19-ઇંચના એલ્યુમિનિયમ વ્હિલ્સ ધરાવે છે, 5.0 લિટર V8 એન્જિન ધરાવે છે જે 435 હોર્સપાવર ધરાવે છે. મો રીસ્ટ વોચનો ખુબ શોખીન છે અને તેની પાસે કાંડા ઘડિયાળનું અદ્ભુત કલેક્શન છે. તે પોતાના બ્લોગ પર અવારનવાર પેતાની વોચ ખરીદતો વિડિયો અપલોડ કરે છે. અને લેટેસ્ટમાં લેટેસ્ટ વોચ વિષે પણ પોતાના વ્લોગ પર માહિતી આપતો વિડિયો અપલોડ કરતો રહે છે.તેના વોચના કલેક્શનમાં કાસિયો, લેવિસ વોચ, એમ્પોરીયો અરમાની વોચ, ગોલ્ડ કલરની ગેસ વોચ છે. તેના ફેન ઘણીવાર તેને ભેટો મોકલતા હોય છે પોતાના એક એપિસોડ દરમિયાન કોઈક ફેને તેની માતાને 10,000 ડોલરના બે વર્સાચે સનગ્લાસીસ ભેટ તરીકે મોકલ્યા હતા અને લેનાને પણ એક ઇમેઇલ થ્રુ એક વર્શાચે વોચ ભેટ તરીકે મળી હતી.બીજા કેટલાક પ્રસંગોમાં તેઓ પર્ફ્યુમ, આફ્ટરશેવ, ફોન કેસીસ, જ્વેલર્સ અને બીજી ઘણી બધી વસ્તુઓ જીત્યા હતા. આમ કહેવા જઈએ તો તેમને ભેટ તેમજ ઇનામ દ્વારા જેટલી વસ્તુઓ મળી હતી તેની કિંમત લગાવવી અઘરી છે. તેમ છતાં કહી શકાય કે તે હજારો પાઉન્ડની હશે. લેનાને મળેલી મોટી સફળતા બાદ લેનાએ એક લેમ્બોર્ગીની ખરીદી હતી, જે મૂળે વ્હાઇટ કલરની હતી પણ પછી તેને પર્પલ કલરથી રંગવામાં આવી હતી. તેની આ લેમ્બોર્ગીની હુરાકેનની ટોપ સ્પીડ 201 માઇલ પર અવર છે અને તે 0થી 60 માઇલ પર અવર માત્ર 3.4 સેકન્ડ્સમાં જ પહોંચી જાય છે. 2014માં ટોપ ગીયર મેગેઝીન દ્વારા આ કારને સુપર કાર તરીકે જાહેર કરવામાં આવી હતી. જો તમારી પણ આ કાર લેવાની ઇચ્છા હોય તો તમારે 241,000 થી 32000 ડોલર વચ્ચે ખર્ચવાની તૈયારી રાખવી પડશે. તેના ભાઈની વાત કરવા જઈએ તો તેનો ભાઈ વ્હાઇટ રેન્જ રોવર ધરાવે છે. તેની આ ગાડીમાં પણ ગજબના ફીચર્સ હતા જેમ કે ડ્રાઇવર્સ સીટમાં LED ડ્રાઇવર્સ, લેધર સીટ અને 5 લીટર V8 પેટ્રોલ એન્જીન. આ ઉપરાંત કારનું બીજુ એક ફીચર પણ રસપ્રદ હતું. તેમાં ડ્યઅલ વ્યુ સ્ક્રીન હતો જે દ્વારા ડ્રાઇવર પેસેન્જરને બહારના દ્રશ્ય કરતાં તદ્દ્ન અલગ દ્રશ્ય બતાવી શકે છે. આ કાર માત્ર 4.7 સેકેન્ડ્સમાં 0-60 માઇલ પર પહોંચી શકે છે.લેના રોઝની નેટ વર્થની વાત કરવા જઈએ તો તે 3 મિલિયન એટલે કે 30 લાખ એટલે કે 3 કરોડ ડોલર એટલે કે લગભગ 200 કરોડ છે. તેણીને સુપરકાર્સ ખુબ ગમે છે પણ તેણીને પ્રાણીઓ પણ તેટલા જ પ્રિય છે. તેણી માત્ર મેકઅપ અને પોતાની લાઇફસ્ટાઇલના વિડિયોઝ અપલોડ નથી કરતી પણ તેણી એક ફિટનેસ કોન્શિયસ પણ છે. તેણીને નેઇલ આર્ટ ખુબ ગમે છે અને તેણી અવારનવાર પોતાના હાથમાં મહેંદી પણ લગાવે છે.મો વ્લોગનો જન્મ યુનાઇટેડ આરબ અમિરાતમાં થયો હતો. અને તે ધર્મે મુસ્લિમ છે. મો વ્લોગ જો કે 2011માં યુ ટ્યુબ વ્લોગર બન્યો હતો અને તે તે સમયે ગેમિંગ વિડિયો બનાવતો હતો જો કે તેને તેમાં જોઈતી સફળતા નહોતી મળી. પણ કહેવાય છે ને કે ‘કોશીશ કરને વાલો કી હાર નહીં હોતી’ તેમ તેણે પર હાર ન માની અને છેવટે સફળ થઈને જ રહ્યો. જો તમે મો વ્લોગની વિડિયોઝ ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર નહીં જોતા હોવ તો તમારે તેને એકવાર જોવી જોઈએ. તે ઘણીવાર જુદા જુદા દેશો દ્વારા ખુબ જ ઓછા પ્રમાણમાં નાણા મેળવે છે. તે મોટે ભાગે તેના સબસ્ક્રાઇબર દ્વારા મોકલવામાં આવતા હોય છે ખાસ કરીને તે વિશ્વના દરેક દેશની કરન્સીનું એક કલેક્શન બનાવવા માગે છે તેમાં તેના સબસ્ક્રાઇબર તેને મદદ કરી રહ્યા છે. તેને જર્મની, કઝાકસ્તાન, ઇન્ડિયા, જાપાન, કોરિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુકે અને અન્ય ઘણાબધા દેશોના નાણા મળ્યા છે. તે વિશ્વની નાનામાં નાની કરન્સીથી માંડીને મોટામાં મોટી કરન્સીનું કલેક્શન બનાવવા માગે છે.

તમારી માટે અને તમારા બાળકો માટે ખાસ વાંચો આ આર્ટીકલ.. આટલું તો કરી જ શકીએ

Read this article specially for you and your children

નવાઈ લાગીને આ શિર્ષક વાંચીને? કોઈને થાશે, આ લેખમાં એવું શું હશે કે શિર્ષક ખોટું લખ્યું? લેખિકા માતાપિતા વિરુદ્ધ તો નથી ને? તો કોઈને થાશે, નક્કી કોઈ અર્થનું અનર્થ છે. તમારા આ પ્રકારનાં તમામ પ્રશ્નોનાં જવાબ આ જ લેખમાં છે. ધ્યાનથી વાંચજો. વર્ષોથી ગુજરાતી માધ્યમની શાળાઓનાં પાઠ્યપુસ્તકોમાં એક અત્યંત જાણીતી રચના “ભૂલો ભલે બીજું બધું, મા – બાપને ભૂલશો નહીં” ને સ્થાન આપવામાં આવ્યું છે. નોટબુકનાં પાછલા પેજ પર પણ સંત પુનિતની આ રચના છાપવામાં આવતી. શાળાઓના પ્રાર્થના સમયમાં પણ તેને ગાવામાં આવતું. કદાચ એને એક સંસ્કારરોપણ રચના તરીકે ઓળખાવવામાં આવે તો નવાઈ નહીં લાગે. એક આદર્શ પુત્ર તરીકે “શ્રવણ” નું ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ છે. આંધળા માતા-પિતાની સેવામાં જીવન વ્યતિત કરતા પુત્રને સૌએ બિરદાવ્યો અને એના દાખલા આજદિન સુધી માતા-પિતા પોતાનાં બાળકોને આપે છે. દરેક માતા-પિતા ઇચ્છે કે તેમનો પુત્ર શ્રવણ જેવો હોય અને તે અપેક્ષામાં ક્યાંય અતિશયોક્તિ નથી. સંસ્કાર પ્રમાણે દરેક સંતાન પાસેથી આ આશા રાખવામાં આવે છે. આપણા ભારત દેશનાં કલ્ચર પ્રમાણે પુત્ર હોય કે પુત્રી, માતા-પિતાની સેવા કરવી એ સર્વ પ્રથમ ધર્મ છે જ. પણ જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ સંજોગમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. પહેલાંના સમયમાં પિતાની જવાબદારી ફક્ત ઘરમાં રૂપિયા કમાવીને લાવવાની અને ભરણપોષણ કરવાની હતી. માતા એ રૂપિયાનો ઉપયોગ પોતાની ઇચ્છા મુજબ ન કરી શકતી. એકાદ ટંક જમવાનું ટાળતાં, દુર દુર સુધી પગે ચાલીને જતાં,બે જોડી કપડામાં પોતાનું પોણું જીવન પસાર કરતાં પિતા અને પોતાને માટે એક નવી સાડી લેવાનાં રૂપિયા ન હોય પણ ઘરમાં આવેલ મહેમાનને એકેય ટંક ભૂખ્યા ન રાખતી તેવી માતાઓનાં ખરેખર ચરણ સ્પર્શ કરાવની ઇચ્છા થાય. અને કદાચ એટલે જ સંત પુનિતએ લખ્યું કે “કાઢી મુખેથી કોળિયા, મ્હોંમાં દઈ મોટા કર્યાં”. પરંતુ જેમ જેમ ભણતર વધતું જાય છે એમ એમ ગણતર દુર થતું જાય છે. રૂપિયા કમાવવાની ઘેલછા પાછળ આજના યુવાનો પોતાનું ભવિષ્ય એક એવા પરીણામ તરફ લઈ જઈ રહ્યાં છે જેનો પરચો એ પરીણામ આવતા સુધીમાં ઘણું બધું પાછળ છોડી દેશે. જો તમે રોજેરોજ ન્યૂઝ પેપર વાંચતા હશો તો તમે જાણતા જ હશો કે આજના યુગના બાળકો એક અલગ પ્રકારની ગ્રંથિમાં જીવે છે. એમને પોતાની કેરિયર બનાવવામાં એવા વ્યસ્ત કરી દેવામાં આવે છે જ્યાં લાગણીઓને કોઈ સ્થાન નથી હોતું. નાણાંકીય રમતગમત શીખવવામાં એટલાં ઓતપ્રોત કરી દેવામાં આવે છે કે બાળકો માતા-પિતાની સહજ ભાવનાઓને ઓળખી નથી શકતા. બીજી તરફ, આધુનિક યુગમાં સ્ત્રી અને પુરુષ, બંને પોતપોતાના કામમાં એટલા વ્યસ્ત રહે છે સંતાનની સામાન્યમાં સામાન્ય બાબતને પ્રાધાન્ય આપી શકતા નથી. આજકાલ તો સ્કૂલમાં થતી પેરેંટ્સ ટીચર મીટિંગ્સમાં પણ માતા અથવા પિતાની ગેરહાજરી આંખે ઊડીને વળગે છે. દર મહિને એક કલાક પોતાનાં બાળકને ન આપી શકતા માતા-પિતા, દિકરો હોય કે દીકરી, “શ્રવણ” જેવાં સંતાનથી છેટા છે. ભણતર કે પછી સામાજિક જવાબદારીઓનો ભાર ન ઉઠાવી શકતાં નબળાં માનસ પર ઘણી વખત એવી અસર થાય છે કે નાની ઉંમરમાં આત્મહત્યાનાં બનાવો પણ બનતા હોય છે. માતા-પિતાથી અલગ રહી પોતાનો સંસાર ચલાવતા ગઈ કાલનાં “યુવાની” નો જ્યારે “ઘડપણ” સાથે સામનો થાય છે ત્યારે તેઓ પોતાનાં સંતાનો પાસે મોટી મોટી અપેક્ષા રાખે છે. ત્યારે સંત પુનિત એ લખેલી આ લીટી યાદ આવે, “સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો, તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં”. સંતાન પોતાનાથી અલગ થઈ જાય ત્યારે દુખી થતાં માતા-પિતા, પોતે તરછોડેલા માતા-પિતાની પીડા ભૂલી જાય છે. સંસ્કારનું સિંચન માત્ર અને માત્ર માતા-પિતાથી જ છે. એ જ દરેક સંતાનને તેના ધ્યેય તરફ આગળ ધપાવે છે. જે સંતાનોના મૂળિયાં મજબૂત છે એ સંતાનોને ક્યારેય સમાજનાં વિવાદિત સંજોગોનો સામનો નથી કરવો પડતો. પરંતુ જેમનો વિકાસ અપૂર્ણ છે તેઓને અસામાજિક તત્વો બનતા વાર નથી લાગતી. માટે જ, “જેવું વાવો, તેવું લણો”, કહેવતરૂપી સત્ય સ્વીકારવું જ રહ્યું. સંતાનોને ભૂલીને પોતાના વિકાસને મહત્વ આપતાં માતા-પિતાને આજે નહીં તો કાલે, પણ પસ્તાવાનો વારો જરૂરથી આવે છે. જો તમે તમારા બાળકોને આ દુનિયામાં લાવ્યા છો તો દુનિયાદારી શીખવવાની ફરજ પણ અદા કરવી પડશે. બાકી, હિંદીમાં કહેવાય છે ને કે “નજર હટી, દુર્ઘટના ઘટી”. બસ, બાળકો સાથે પણ કાંઈક આવું જ છે. અને માટે જ આ શિર્ષક આપ્યું છે કે “ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલશો નહીં”…

તમારા પર પણ લક્ષ્મીજી ચાર હાથે વરસાવશે ધન, એવો ચમત્કારી છે આ ઉપાય

Talakshmiji will shower wealth, this remedy is so miraculous

ધનનો અભાવ એવી સમસ્યા છે જેમાં ફસાયેલી વ્યક્તિ કોઈપણ અનર્થ કરી શકે છે. જો જીવનયાપન કરવા માટે પૂરતા પ્રમાણમાં ધન વ્યક્તિ પાસે ન હોય તો તે ન કરવાના કામ કરીને પણ ધન કમાવાની લાલચમાં આવી જાય છે અને પાપના માર્ગે ચાલવા લાગે છે. આવા માર્ગ પર ચાલનાર ક્ષણિક લાભ મેળવે તો પણ તેનું પરિણામ તો ખરાબ જ આવે છે. પરંતુ આપણે અહીં વાત એવા ઉપાયની કરવાની છે જે કોઈપણ જાતકને પતનના માર્ગેથી પણ પરત લાવી શકે છે. જી હાં શિવરાત્રિ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે તમે પણ આ ઉપાયનો લાભ લઈ શકો છો. ભગવાન ભોળાનાથ ભક્તોની પીડા હરવા માટે તત્પર રહે છે. તેમની ભક્તિ શ્રદ્ધાથી કરનારને તેનું ફળ અચૂક મળે છે. તો આ વર્ષે શિવરાત્રિ માત્ર ઉપવાસ અને શિવપૂજા કરીને નહીં પણ એક શુભ શરૂઆત કરીને ઉજવો. આ શુભ શરૂઆત છે દારિદ્રત દહન સ્તોત્રનો પાઠ. આ પાઠ નિયમિત રીતે બોલવાથી ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ રહે છે અને દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે. એટલા માટે જ આ સ્તોત્રને દારિદ્ર દહન સ્તોત્ર કહેવામાં આવે છે. આમ તો આ પાઠ કરવાની શરૂઆત કોઈપણ વારથી તમે કરી શકો છો પરંતુ મહાશિવરાત્રિનો પર્વ આવે જ છે તો તે દિવસથી જ કરજો આ શુભ શરૂઆત જેથી શિવકૃપાથી તમારા જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ ટકી રહેશે. દારિદ્રદહન સ્તોત્ર વિશ્વેશ્વરાય નરકાર્ણવ તારણાયકર્ણામૃતાય શશિશેખર ધારણાય |કર્પૂરકાન્તિ ધવળાય જટાધરાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 1 || ગૌરીપ્રિયાય રજનીશ કળાધરાયકાલાન્તકાય ભુજગાધિપ કંકણાય |ગંગાધરાય ગજરાજ વિમર્ધનાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 2 || ભક્તપ્રિયાય ભવરોગ ભયાપહાયઉગ્રાય દુઃખ ભવસાગર તારણાય |જ્યોતિર્મયાય ગુણનામ સુનૃત્યકાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 3 || ચર્માંબરાય શવભસ્મ વિલેપનાયફાલેક્ષણાય મણિકુંડલ મંડિતાય |મંજીરપાદયુગળાય જટાધરાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 4 || પંચાનનાય ફણિરાજ વિભૂષણાયહેમાંકુશાય ભુવનત્રય મંડિતાયઆનંદ ભૂમિ વરદાય તમોપયાય |દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 5 || ભાનુપ્રિયાય ભવસાગર તારણાયકાલાન્તકાય કમલાસન પૂજિતાય |નેત્રત્રયાય શુભલક્ષણ લક્ષિતાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 6 || રામપ્રિયાય રઘુનાથ વરપ્રદાયનાગપ્રિયાય નરકાર્ણવ તારણાય |પુણ્યાય પુણ્યભરિતાય સુરાર્ચિતાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 7 || મુક્તેશ્વરાય ફલદાય ગણેશ્વરાયગીતાપ્રિયાય વૃષભેશ્વર વાહનાય |માતંગચર્મ વસનાય મહેશ્વરાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 8 || વસિષ્ઠેન કૃતં સ્તોત્રં સર્વરોગ નિવારણમ |સર્વસંપત્કરં શીઘ્રં પુત્રપૌત્રાદિ વર્ધનમ |ત્રિસંધ્યં યઃ પઠેન્નિત્યં ન હિ સ્વર્ગ મવાપ્નુયાત || 9 || || ઇતિ શ્રી વસિષ્ઠ વિરચિતં દારિદ્ર્યદહન શિવસ્તોત્રમ સંપૂર્ણમ ||

ક્યારેય વિચાર્યું કે પૂર્વજો કેમ જમીન પર બેસી ને જમવાનો આગ્રહ રાખતા ? જાણો, ૯ બુદ્ધિગમ્ય કારણો

ઘણા ભારતીય ઘરોમાં તમે લોકોને જમીન પર બેસીને ભોજન જમતા જોયા હશે, જ્યારે મોટા ભાગના લોકો ટેબલ ખુરશી ઍટલે કે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવા નુ પસંદ કરે છે. તેમા ઍવા લોકો પણ હશે જે ટી.વી. સામે બેસી અથવા બેડ પર બેસીને ખાય છે, ચોક્કસ તે આરામદાયક હોઈ શકે છે પણ જરૂરી નથી કે તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હોય. આપણા પૂર્વજો ઍ ચોક્કસ કાઇ સમજી વિચારી ને જ આ પરંપરા (રિવાજ) બનાવ્યો હશે કે જમીન પર બેસીને જ ભોજન લેવુ. અહીં ૯ બુદ્ધિગમ્ય કારણો રજૂ કરુ છુ જે તમને જૂની પરંપરાગત ભોજન લેવાની વ્યવસ્થા પર પાછા જવા માટે મદદરૂપ થશે. ઘણા ભારતીય ઘરોમાં તમે લોકોને જમીન પર બેસીને ભોજન જમતા જોયા હશે, જ્યારે મોટા ભાગના લોકો ટેબલ ખુરશી ઍટલે કે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવા નુ પસંદ કરે છે. તેમા ઍવા લોકો પણ હશે જે ટી.વી. સામે બેસી અથવા બેડ પર બેસીને ખાય છે, ચોક્કસ તે આરામદાયક હોઈ શકે છે પણ જરૂરી નથી કે તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હોય. આપણા પૂર્વજો ઍ ચોક્કસ કાઇ સમજી વિચારી ને જ આ પરંપરા (રિવાજ) બનાવ્યો હશે કે જમીન પર બેસીને જ ભોજન લેવુ. અહીં ૯ બુદ્ધિગમ્ય કારણો રજૂ કરુ છુ જે તમને જૂની પરંપરાગત ભોજન લેવાની વ્યવસ્થા પર પાછા જવા માટે મદદરૂપ થશે. ૧. પાચન સુધારવા મદદ કરે છે : તમે જમીન પર બેસીને જમો છો ત્યારે તમે સામાન્ય રીતે પલાઠી વાળીને બેસો છે જે સુખઆસન તરીકે પણ ઓળખાય છૅ અથવા અડધુ પદ્માઆસાન, જે ઍક ઍવી મુદ્રા છે જે તમને ખોરાક પચાવામાં મદદ કરે છે( ઍવુ માનવા માં આવે છે કે જે પણ વ્યક્તિ ભોજન સમયે આ મુદ્રા માં બેસે છે ત્યારે આપોઆપ તમારા મગજ ને ખોરાક પાચન કરવાના સંકેત મળી જાય છે ) તે ઉપરાંત તમે જ્યારે જમીન પર મૂકેલી થાળીમાંથી જમો છો ત્યારે તમારી પીઠ કુદરતી રીતે થોડી નીચે વળે છે અને ખોરાકને ઉતારવા તમે પાછા સીધી પીઠ કરો છો, આ સતત આગળ પાછળ થવાની પ્રક્રિયા તમારા પેટના સ્નાયુઓ સક્રિય કરવા માટે કારણ બને છે અને તમારા પેટના એસિડ સ્ત્રાવ વધારવામાં પણ મદદ કરે છે, જે તમારા ખોરાક પાચનની પ્રક્રિયાને સરળ બનાવે છે. ૨. વજન ઉતારવામાં મદદરૂપ છે: જમીન પર બેસીને જમવાથી નોંધપાત્ર વજન ઘટાડો થવાના લાભો પણ છે, જો તમે આ સ્થિતિમાં બેસીને જમો છો ત્યારે તમારુ મગજ આપોઆપ શાંત થઈ વધુ સારી રીતે ભોજન જમવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, આ ઉપરાંત આ મુદ્રા તમને સમાન માત્રામાં ખોરાક લઈ તમને સંતોષ પ્રદાન કરે છે જેથી તમે ઑવર ઈટિંગની આદતથી પણ બચી શૅકો છો. તે કેવી રીતે કામ કરે છે ? લોકો વધારે ખાય છે કારણ કે તેમને ખબર જ નથી પડતી કે તેમનુ પેટ ભરાઈ ગયુ છે અને આમ થવા નુ મુખ્ય કારણ ઍ છે કે વેગસ ચેતા (મગજમાં પેટ માંથી સંકેતો પ્રસારણ કરતી મુખ્ય ચેતા) તમે સંતોષી થયા કે નહિ તેના સંકેતો મોકલે છે જ્યારે તમે જમીન પર બેસીની જમો છો ત્યારે આ ચેતા વધુ સારી રીતે કામ કરે છે અને વધુ અસરકારક રીતે સંકેતો વહન કરવા સક્ષમ છે, જ્યારે તમે ડાઇનિંગ ટેબલ પર બેસીની જમો છો ત્યારે આ પ્રક્રિયા ધીમી પડી જાય છે અને તમારા મગજને સંકેતો સમયસર મળતા નથી જેથી ઑવર ઈટિંગની સમસ્યા ઉદભવે છે. ૩. તમને વધુ સરળ બનાવે: જ્યારે તમે નીચે બેસો છો ત્યારે તમારી પીઠના નીચલા ભાગના સ્નાયુઓ, પેડુ અથવા બસ્તિપ્રદેશ, તમારા પેટના ઉપલા તથા નીચલા ભાગની આસપાસ સ્ટ્રેચ થઈ પીડા અને અગવડતા ઘટાડે છે, જે તમારી પાચન શક્તિને આરામ આપી તમને નૉર્મલ રાખવામાં મદદ કરે છે, આ ઉપરાંત તમે જે ખાવ છો ત્યારે આ સ્થિતી તમારા પેટને સંકુચિત નથી કરતી અને વધુ સારુ પાચન કરવા વધુમાં આ સ્નાયુઓ ખેંચવા થી તમે સરળ અને સ્વસ્થ રહો છો. ૪. સજાગ રીતે ખોરાક લેવામાં મદદ કરે છે : જ્યારે તમે ઍક પરિવાર તરીકે જમીન પર બેસીને ઍક સાથે ખાવ છો ત્યારે તમે સજાગ રીતે ખોરાક લેવામાં પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરો છો. તે તમને ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવા મદદ નથી કરતુ પણ તમને સારો ખોરાક ખાવાની પસંદગીમાં પણ મદદ કરે છે, જ્યારે તમારુ મન શાંત હોય અને તમારુ શરીર બધા પોષકતત્વો ગ્રહણ કરવા તૈયાર છે ત્યારે જમીન પર બેસીને પૂરતા પ્રમાણમાં અને જુદા પ્રકારનુ ભોજન જમવુ ઍ ઍક શ્રેષ્ઠ માર્ગ છે, અગ્રણી ન્યૂટ્રીશનિસ્ટ “ઋુજુટા દિવેકર” પ્રમાણે જ્યારે તમે જમો ત્યારે ખોરાકના દરેક પાસા જેવા કે સુગંધ, સ્વાદ, સંગઠન અને તમે કેવી રીતે ખાઇ રહ્યા છો તે ધ્યાનમાં રાખો તો તમે સરળતા થી વજન ઉતરી શૅકો છો જે તમે જમીન પર બેસીને જમો ત્યારે આપોઆપ થઇ જાય છે. ૫. તમારા કુટુંબ સાથે બોન્ડ કરવામાં મદદ કરે: સામાન્યપણે જમીન પર બેસીને જમવાની પ્રથા કુટુંબ પ્રવૃત્તિ છે. આ સમય ઉત્તમ છે તમારા પરિવાર સાથે વાતચીત કરવા નો. જમીન પર બેસીને જમવાથી તમારા પરિવાર સાથે સ્નેહ વધે છે અને તે તમને તમારુ મગજ શાંત અને ખુશ રાખે છે જેથી તમે બીજાની વાતો વધુ ઉત્સુકતાપૂર્વક અને શાંતિપૂર્ણ સાંભળી શકો છો. ૬. તમારી મુદ્રાને સુધારે છે : જ્યારે આપણે તંદુરસ્ત રેહવાની વાત કરી રહ્યા હોય ત્યારે સારી મુદ્રા ઍટલે કે પોસ્ચર ખૂબ જ મહત્વ નુ છે. મુદ્રા ફક્ત તમને સામાન્ય ઈજાથી નથી બચાવતી પણ તમારા ચોક્કસ સ્નાયુઓ અને સાંધા પર વધુ પડતા તાણની શક્યતા ઘટાડે છે. જે ક્યારેક તમને થાક તરફ પણ લઇ જાઇ શકે છે, જ્યારે તમે જમીન પર આ મુદ્રામાં બેસો છો ત્યારે આપમેળે તમારી પીઠ સીધી થઈ તમારા કરોડરજ્જુની લંબાઈ વધારી, તમારા ખભાને પાછળ તરફ લઈ જઈ તમામ સામાન્ય દુખાવાથી બચાવે છે જે ખરાબ મુદ્રામાં બેસવાથી થાય છે. ૭. લાંબુ જીવન પ્રદાન કરે છે : માનવામાં થોડુ મુશ્કેલ લાગે છે ખરુ ને ? પણ આ વાત સાચી છે કે જમીન પર બેસીને જમવાથી તમે લાંબુ જીવન જીવી શૅકો છો. પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી ઓફ જર્નલ, યુરોપિયન જર્નલ પ્રકાશિત અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યુ છે કે જે લોકો પદ્મસનમાં બેસીને કોઈપણ પ્રકારના આધાર વગર ઉભા થાય છે તે લાંબુ જીવન વિતાવે છે આ માટેનુ કારણ ઍ છે કે જે આ મુદ્રામાં આધાર વગર ઉભા થવાથી તમારા નીચલા ભાગની શક્તિ સારા ઍવા પ્રમાણમાં વપરાય છે અને ફ્લેક્સિબિલિટી વધે છે. આ અભ્યાસ પરથી ઍવુ જાણવા મળેલ છે કે જે લોકો આ મુદ્રામાંથી આધાર વગર ઉભા નથી થઈ શકતા તે લોકો આગામી 6 વર્ષમાં મૃત્યુ પામવાનુ જોખમ 6.5 ગણુ વધી જાય છે. ૮. તમારા ઘુંટણ અને હિપના સાંધાને સ્વસ્થ રાખે છે : પી.એસ. વેંકટેશ્વર અનુસાર(બુક – યોગા ફોર હીલિંગના લેખક ) સુખાસન અને પદ્મઆસન ઍ ઍક ઍવા યોગા છે જે તમારા પૂરા શરી ને તંદુરસ્ત … Read more

જાણો તમારા વિચારો જીવનસાથીના વ્યવહાર સાથે મેચ થાય છે આ 5 બાબતો

દરેક રિલેશન બહુ જ સુંદર હોય છે, માત્ર જરૂર હોય છે તેને પ્રેમ અને વિશ્વાસથી સિંચવાની. જો તમે ક્યારેય એવું વિચારશો કે તમારો પાર્ટનર પરફેક્ટ હોવો જોઈએ, તો આવું ક્યારેય નહિ થાય. કેમ કે, કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતો. રિલેશનની વાત કરીએ તો, યુવતીઓ પોતાના બોયફ્રેન્ડમાં કોઈ પણ ખામી સહન કરી શક્તી નથી. જો તેમનામાં કોઈ ખામી દેખાય તો તે છોડી દે છે. આ ચક્કરમાં યુવતીઓ તેમના બોયફ્રેન્ડની સારી બાબતોને પણ નજરઅંદાજ કરી છે. આજે અમે તમને એવી બાબતો બતાવીએ, જે જો તમારા બોયફ્રેન્ડમાં હોય તો તમે ક્યારેય રિલેશનશિપ તોડતા નહિ. આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે જો તમારા બોયફ્રેન્ડમાં તમને પ્રોત્સાહિત કરવાનો ગુણ છે, એટલે કે જો તે તમને દરેક બાબતમાં આગળ વધવા કહેતો હોય તો તેવા પાર્ટનરને ક્યારેય ન છોડતા. જો તમને લાગે કે, આ બહુ મોટી વાત નથી, તો તમને જણાવી દઈએ કે, આ ગુણ બધા યુવકોમાં નથી હોતા. આજકાલ બધા જ પોતાના માટે વિચારતા હોય છે, આવામાં આવો છોકરો મળે તો ક્યારેય ન છોડતા. સોરી બોલવું જ્યારે તે પોતાની ભૂલ કે તમારી ભૂલ પર ખુદ સોરી બોલે છે, તેનાથી માલૂમ પડે છે કે, તે કોઈ પણ કિંમતે તમારી સાથે રિલેશન ટકાવવા માગે છે. આવુ રિલેશન ટકાવી રાખજો.ભૂતકાળની વાતો શેર કરે જો તમારો બોયફ્રેન્ડ તમારી સાથે દિલ ખોલીને તેના ભૂતકાળની વાતો શેર કરે છે, તો તેનો મતલબ એ છે કે તે તમારી સાથે પૂરી રીતે ઈમાનદાર છે. તમને ફ્રી રાખે કેટલાક યુવકોને આદત હોય છે કે, તે દરેક વાત પર રોકટોક કરે છે. આખરે દરેકની એક પર્સનલ સ્પેસ હોય છે અને તેમાં કોઈને પણ કોઈની દખલગીરી ગમતી નથી. પંરતુ જો તમારો બાયફ્રેન્ડ તમને તમારો પરિવાર અને તમારા મિત્રોને મળવાની છૂટથી પરમિશન આપે છે, તમને ફ્રી છોડે છે, તમારા પર કોઈ પ્રકારનું રોકટોક નથી કરતો, ન તો બેકારમાં શક કરે છે, તો તમારે આવા બોયફ્રેન્ડને ક્યારેય છોડવો ન જોઈએ. તમારા પેરેન્ટ્સને પોતાનું ગણવું કોઈ બીજાના પેરેન્ટ્સને પોતાના ગણવું બહુ જ મુશ્કેલ હોય છે. યુવતીઓ હંમેશા યુવકના મમ્મી-પપ્પાને અપનાવી લે છે, પંરતુ યુવક આવું નથી કરી શક્તા. જો તમારો બોયફ્રેન્ડ તમારા પેરેન્ટ્સને પોતાના પેરેન્ટ્સ માને છે, તો તેનો મતલબ છે કે તે તમને દિલથી પ્રેમ કરે છે અને તે તમને ક્યારેય છોડવા નથી માગતો.

દાદા – આ વાંચ્યા બાદ તમારા દાદા તમને યાદ ન આવે તો જ નવાઈ!

દાદા ઘરના વટવૃક્ષ સમાન છે. દાદા વિશે થોડુ લખવાનુ હોઇ તો કદાચ શક્ય નથી કારણ કે દાદા એ વિશે લખતા લખતા પેન થાકી જાય અને નોટના પેજ કદાચ પુરા થઇ જાય. દાદા એ આપણી ત્રીજી પેઢી છે. આપણા ઘરમાં અનુભવોનુ ભાથુ જો કોઇ પાસે હોય તો તે દાદા દાદી છે. જીંદગીની પાછલી સંધ્યામાં રહેલા દાદાએ જીવનના બહોળા કડવા મીઠા અનુભવો ધરાવે છતાંય તે હમેંશા પ્રેમની સરવાણી જ વહાવે છે. માતા પિતાથી છાનામુના ચોકલેટ અને નાસ્તો અપાવે તે દાદા અને માતા પિતાની ડાટ અને મારથી પણ બચાવે તે દાદા. કહેવાય છે ને કે નાણા કરતા વ્યાજ વધુ વહાલુ લાગે છે તે જ રીતે ક્યારેક પપ્પા કે મમ્મી કામકાજથી થાક્યા ઘરે આવ્યા હોય તો તેમનો ગુસ્સો સંતાનો પર ઉતરી જાય પણ દાદા-દાદી તેના પૌત્ર કે પૌત્રીઓને ક્યારેય ગુસ્સો કરતા નથી અને ક્યારેક જો પપ્પા ખીજે તો પણ તે કોઇના કોઇ બહાને ઉપરાણું લે છે અને ઉલ્ટાનુ પપ્પાને ખીજે છે.સાંજે ઘરના ઓટલે બેસીને કલ્પનાની દુનિયાની સફર કરાવે તે દાદા અને વાતો વાતો જીવનના અઘરા મુલ્ય સમજાવી દે તે દાદા. ભલે ઘરમાં કોઇ ગમે તેવા કટુ વચન કહી દે પરંતુ સદાય હસતા રહે તે દાદા. કમ્મર નો ગમે તેવો દુ:ખાવો હોય છતાંય પૌત્ર-પૌત્રી માટે દુ:ખાવો ભુલી જઇને ઘોડો બની જાય તે દાદા જ છે.ઉંમરના આખરી પડાવમાં બધા જ દુ:ખ, દર્દો અને ચિંતા ઉપાધી ભુલી જઇને પૌત્ર પૌત્રી સાથે બાળક બની જાય તે દાદા જ છે. પૌત્ર પૌત્રીને ખીજાઇને પણ ગળે લગાડનાર દાદા જ છે. જે વ્યક્તિને દાદાનો સાથ નથી મળ્યો તે ખરેખર કમનસીબ જ છે કારણ કે ઘરનો કોઇ પણ સભ્ય દાદાનુ સ્થાન લઇ શકતો નથી.દાદા એ આપણા મિત્ર છે આ એક એવો સંબંધ છે જ્યા બધુ શેર કરી શકાય છે. માતા પિતા સાથે થોડોક અંતર આવે પરંતુ દાદા દાદી સાથે કોઇ અંતર નથી. આપણ ખાસ મિત્ર અને સખા બનીને નાનપણમાં આપણી સાથે બાળક બનીને રમે છે અવનવા ખેલ કરાવે છે જયારે મોટા થઇએ ત્યારે અનુભવના ભાથામાંથી જીવનપોયગી સલાહ આપીને સાચો માર્ગ બતાવે છે. દાદા દાદીના મીઠા મધ જેવા પ્રેમનો કોઇ વિકલ્પ નથી. કહેવાય છે કે જે ઘરમાં દાદા દાદી રૂપી વડીલ નથી તે ઘરના બાળકો જીદી, ઉધ્ધત અને તોફાની બની જાય છે. દાદા દાદી ની પ્રેમની સરવાણી બાળકના ચંચળ મનને શાંત, સરળ અને ઋજુ બનાવે છે.આજ કાલની સ્ત્રી તથા પુરુષોને સ્વંતત્ર રહેવુ છે અને એટલે તેઓ માતા પિતાને એકલા મુકી દે છે કે ઘરડા ઘરમાં દાખલ કરાવી દે છે. પછી તેઓના બાળકો પણ સ્વછંદ બની જાય છે અને દાદા દાદીના પ્રેમ અને સંસ્કારથી વંચિત રહી જાય છે અને એ બાળક ઘર સાથે સમાજ માટે પણ બોજરૂપ બની જાય છે.ઘરમાં દાદા કે દાદીની ઉંમર ભલે ગમે તેટલી વધુ થઇ ગઇ હોય, કદાચ તે કાંઇ કામકાજ કે હલનચલન પણ ન કરી શકતા હોય તો પણ માત્ર તેની હાજરી પણ આપણામાં એક અલગ જ જોશ ભરી દે છે, જેમ મકાન પર છત ન હોય તો ઘરની વેલ્યુ કોડીની થઇ જાય છે એમ આપણી સાથે પણ જો આપણા વડિલો ન હોય તો આપણી વેલ્યુ નહિવત રહી જાય છે. વડિલોના અવસાન બાદ પણ આપણે તેમના નામે જ ઓળખાઇએ છીએ કે આ પેલો રમેશ ફલાણાભાઇ નો દિકરો છે.ભલે તેઓ ઘરડા છે તેનામાં શારીરિક ક્ષમતાઓ ઓછી પડી ગઇ છે પરંતુ પ્રેમ અને સંસ્કારની સરવાણી તો ભરપુર જ છે. ઇશ્વરે માણસને જીવનનુ આખરી સ્ટેજ બધાને પુષ્કળ પ્રેમ કરવા અને પોતાના અનુભવો દ્વારા સમાજને સાચો રાહ બતાવવા જ આપ્યુ છે. ભલે તે એક ખરતુ પાન છે પરંતુ તેમણે જે તડકી છાંયી અને ઉંચ નીચ જોઇ છે તે આપણે હજુ બધુ બાકી જ છે માટે તેને હમેંશા માન આપવુ જોઇએ અને એક વયોવુધ્ધ વડીલ તરીકે તેનુ સમ્માન જાળવવુ જોઇએ તેઓ ભલે આપણી ટેકનોલોજી અને જ્ઞાનથી અજાણ છે પરંતુ તેની પાસે જીવનના અનુભવોનો ખજાનો છે.આટલા ગુણકારી અને પરોપકારી વડિલ વટવૃક્ષ સમાન વડિલોની તેમની પાછલી અવસ્થામાં તન મન અને ધનથી તેની સાથે રહીએ એ જ આપણા માટે ઘર બેઠા ચાર ધામની યાત્રા સમાન છે.

પરીક્ષામાં ૯૯% કેવી રીતે લાવવા?? આજે વાત વિદ્યાર્થીની મુંજવણની…

How to get 99% in exam

આજ એક સરસ મજા નો ટોપીક મળી ગયો. મારે ધોરણ 12 માં 88% ( વર્ષ 2007) આવ્યા . બોર્ડ માં નંબર આવ્યો. છાપાંમાં ફોટો આવ્યો .આર્ટિકલ છાપામાં આવ્યું. ત્યારે અને અત્યારે ઘણા વિદ્યાર્થીઓ અને માતા – પિતા સમાન વડીલો મને પૂછતાં હોય કે અભ્યાસમાં સારા ટકા કેમ લઈ આવવા ? આજ આટલા વર્ષો પછી આનો જવાબ લખી રહ્યો છું. સફળતા રાતોરાત દેખાય છે પણ મળતી નથી.આજ વાક્ય માં 99% કેમ લઇ આવવા એનો જવાબ છે. બોર્ડનું પરિણામ આવે ને દેખાય કે આને આટલા ટકા આવ્યા કે બહુ સરસ પરિણામ આવ્યું.પણ એની પાછળ ઘણી રાતો છુપાયેલી હોય છે. આ રાતો પણ કેવી કે શંકર મનાવવા બેઠેલા એક તપસ્વી જેવી. પરીક્ષામાં ૯૯% કેવી રીતે લાવવા?? તો મિત્રો વધુ બીજી વાત નઈ કરતા મૂળ વાત પર આવીયે અને નીચે લખેલા મુદ્દાઓ અને વાતો સારામાં સારા ટકા લાવવામાં મદદરૂપ થશે. સમય નું આયોજન/ નીયમીત ટાઈમટેબલ વિદ્યાર્થી મિત્રો જો તમે નક્કી જ કરી લીધું છે કે સારા ટકા લઇ આવવા છે તો તમારે તમારીદિનચર્યાનું ટાઈમટેબલ બનાવવું જ રહ્યું . સવારે ઉઠવાથી માંડીને રાતે સુવા સુધીમાં તમે ક્યુ કામ ક્યારે કરશો અને કેટલું વાંચન કરશો એ પણ નકી કરી લેવું હિતાવહ છે.બિનજરૂરી કામમાં ટાઈમ બગાડશો નહીં. કેટલું વાંચન કરવું ? આ ખુબ જ અગત્યની વાત છે. ઘણા વિદ્યાર્થી નવરાશ મળે એટલે વાંચન કરે જે સાચું નથી.તો ઘણા મિત્રો આખરી રાત વાંચન કરે જે પણ ઠીક નથી. સામાન્ય નિયમ મુજબ એક વિષય માટે એક કલાક ફાળવવી જોઈ. 10 માં ધોરણમાં 7 વિષય તો 7 કલાકનું અને 8 વિષય તો 8 કલાકનું વાંચન કરવું. પણ આ વાંચન હેલ્ધી હોય એ જરૂરી છે. વાંચન કરવાનું શક્ય હોય તો સવારે વહેલું રાખો. વાંચન માટે લખું તો આખી બુક ભરાઈ પણ અત્યારે આટલું પૂરતું છે.મારી પછીની પોસ્ટ વિદ્યાર્થીનાં વાંચન પર જ હશે. બિનજરૂરી સમય ન બગાડો ઘણા વિદ્યાર્થી મિત્રો ટીવી સિનેમા પાછળ બિનજરૂરી સમય બગાડતા હોય છે. ખાસ કરીને અભ્યાસ દરમિયાન આવા કાર્યક્રમ પાછળ સમય ન બગાડવો જોઈ . કોઈ જગ્યા પર બેસીને ગપ્પા મારવાનું ટાળવું જોઈ. ફક્ત ધ્યાન અભ્યાસ લક્ષી જ હોવું જોઈ. એ પણ વાંચન લેખન અને અભ્યાસનો મહાવરો. ઘરે સમયસર પહોંચી વાંચન કરવું જોઈ. ખરાબ મિત્રો ની સંગત ટાળો ઘણા મિત્રો એવા હોય કે તમારૂં વાંચન લેખન ચાલુ હોય ત્યારે બિનજરૂરી ફોન કરે.ગપ્પા મારવા આવે. ફિલ્મ જોવા લઈ જાય અને કહે કે ભણવાથી કોનાં ઘર મોટા થયા છે ? આવા મિત્રો થી દૂર રહેવું ફાયદાકારક છે. આવા મિત્રો નઈ ભણે કે તમને નઈ ભણવા દે. મિત્રો હોવા જોઈ પણ કારકિર્દીના ભોગે નઈ. Friend is Shadow of life but they should good. લેખન (practise) વાંચન સાથે લેખન પણ જરૂરી છે.તમને માર્ક્સ મળવાના છે ત્રણ કલાક લખેલા પેપરને આધારે . તમને જો બધું જ આવડતું હશે પણ લેખનનો મહાવરો નહિ હોય તો સારા ટકા કે સારા માર્ક્સ નઈ જ આવે. વર્ષ ની શરૂઆતથી જ લખવાનું રાખો. દરરોજ એક પેપર લખવાની પ્રેક્ટિસ કરો. પરીક્ષા ને એક મહિનાની વાર હોય ત્યારે 2 પેપરની પ્રેક્ટિસ કરવી જોઈ. પેપર લખતા હોય ત્યારે ઉભા થવાનું તાળો. પેપર સ્ટાઇલ મારી દ્રષ્ટિએ આ ખુબ જ અગત્ય નો મુદ્દો છે. આ પેપર સ્ટાઇલ જ તમને સારા માર્ક્સ અપાવશે. પુત્રના લક્ષણ પારણામાંથી એમ સારા માર્ક્સના લક્ષણ સારી પેપર સ્ટાઈલ માંથી જ. તમારો ઉત્તર માર્ક્સ મુજબ હોવો જોઈએ . માર્ક્સ મુજબ બહુ નાનો નહિ કે બહુ મોટો નહિ. વળી ઉત્તર પણ મુદ્દાસર લખવા જોઈ. શક્ય હોય તો મુદ્દા લખવા માટે અલગ પેનનો ઉપયોગ કરવો. મારે ધોરણ 12 માં અર્થશાસ્ત્ર વિષયમાં 98 માર્ક્સ આવ્યા (2007માં)અને બોર્ડે એ પેપર નમૂના તરીકે છાપીને આખા ગુજરાતમાં નમૂના બુકમાં સર્કયુલેટ કર્યુ એ પેપર આપ જોશો તો આ મુદ્દો વધુ સ્પષ્ટ થશે. કેવી બૂક્સ વસાવવી ? ઘણા વિદ્યાર્થી મિત્રો એક જ વિષયની ચાર પાંચ બુક લેતા હોય છે. એવું કરવાને બદલે પાઠ્યપુસ્તક પર વધુ ભાર આપવો જોઈ. બીજા પ્રકાશનની બુકની માહિતી તમને ગેરમાર્ગે દોરશે. ઘણા ટ્યુશન ક્લાસમાં ધોરણ 11 અને 12 માં કોલેજનું ભણાવે .મિત્રો એવું કરવાથી ટાઈમ બગાડ્યા સિવાય બીજું કંઈજ હાથમાં નઈ આવે. મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો તમારી 4 થી 5 વર્ષની મહેનત તમારા 40 થી 50 વર્ષ સુધારી દેશે ને 4 થી 5 વર્ષની મોજ 40 થી 50 વર્ષ બગાડી દેશે.તો તમે જ નકકી કરી લો તમારે શું કરવું છે એ. તમારા અભ્યાસ અને તમારા 99 % પર તમારા માતા-પિતાના કેટલાય સ્વપ્નો છુપાયેલા છે.તમારા કુટુંબ અને ભાઈ- બહેનની જવાબદારી છુપાયેલી છે જે તમને અત્યારે નહિ પણ ભવિષ્યમાં સમજાશે. તો મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો હવે સમય બગાડ્યા વગર કરી દો વાંચન, લેખન અને મહાવરાના શ્રી ગણેશ. 99% માટે All the best.

સાધુનું વ્રત પ્રાચીન વાર્તા

A monk's vow is an ancient story

આ પ્રાચીન વાર્તા છે. તે સમયમાં ભારતમાં રાજા રજવાડાનું રાજ ચાલતું હતું. રાજાઓને શિકાર કરવાનો એક શોખ હતો. જાત જાતના કામકાજના ભારથી થાકેલા રાજાઓ વચ્ચે વચ્ચે જંગલમાં ફરતા અને પશુ-પક્ષીના શિકાર કરીને મનને હળવું કરતા. ત્યારે અરણ્યમાં કેવળ વન્ય જીવજંતુનો વસવાટ જ ન હતો. તે બધા હિંસક પ્રાણીઓ સાથે સાધુ મહાત્માઓ રહેતા. તેઓ અરણ્યમાં તપસ્યા કરતા. વનનાં ફળમૂળ તેમનો આહાર હતો. તેમના મનમાં પ્રશાંતિ વિરાજતી. વૈરવિહીન મનમાં કોઈપણ જીવજંતુ પ્રત્યે કોઈ હિંસા-દ્વેષ ઉદભવતો નહિ- તેઓ તો ચિંતન કરતા જગતના કારણ સ્વરૂપ ઈશ્વરનું અને સૃષ્ટિના વૈચિત્ર્યમાં સર્વમય ભગવાનનો પ્રકાશ જોઈ શકતા.રાજાઓ જ્યારે શિકાર કરવા જતા ત્યારે સાધુઓના આશ્રમમાં જતા. કોઈ જાતનો ઉપદ્રવ છે કે નહિ તે અંગે કુશળ પ્રશ્ન પૂછતા આ પ્રકારે સાધુઓ સાથે રાજાઓનો પારસ્પરિક શ્રદ્ધા સન્માનનો સબંધ હતો. રાજા અને તેની પ્રજાને તપસ્વીઓના તપોભાગનું પરમ પુણ્યફળ મળતું. સમાજના જીવનપ્રવાહને સ્પર્શી રહેતો આધ્યાત્મિક જીવનનો અમૃત પ્રવાહ ! એવી એક વાર્તા છે. એક રાજા હતા. તે કેટલાક યુવાનોને સાથે લઈને શિકાર કરવા આવ્યા છે. તેજી ઘોડા પર તેઓ સવાર થયા છે. સાથે કેટલાક દિવસો સુધી ચાલે તેટલી ખાદ્યસામગ્રીની પાલખી છે. કેટલાક દિવસો શિકારની મઝામાં તેઓએ વિતાવ્યા. ખાસ કરીને અરણ્યનું લીલુંછમ પર્યાવરણ, પક્ષીઓનો કલરવ, રાત્રીના નિસ્તબ્ધ અંધકારમાં એક વન્ય જીવનની અનુભૂતિ! અહીં સલામતી નથી પરંતુ સ્વતંત્રતા છે. હવે પાછા ફરવાનો સમય થયો છે. રાજાને સુખ આપવા ઈચ્છાતા વફાદાર સાથીઓ કથાન પરિશ્રમ કરે છે. પોશાક મલિન ધૂળવાળા થયા છે. રાતનો ઉજાગરાને લીધે આંખો લાલચોળ છે. કાચું માંસ શેકીને અથવા ફળમૂળ ખાઈને કેટલા દિવસ રહી શકાય? અને મૃગયાનો છેલ્લો દિવસ હતો. તેઓ એક વનમાંથી બીજા એક ગાઢ જંગલમાં જાય છે. ચાલતાં ચાલતાં કોઈ એક વૃક્ષની નીચે થાકીને વિશ્રામ કરવા બેઠા. ઘોડાઓને ચરવા માટે છોડી મૂક્યા. થોડીવાર પછીએ એક માણસને યાદ આવ્યું કે ઘોડાઓની ઉપર કોઈ નિશાની નથી તે ક્યાં જતા રહ્યા? શોધખોળ નિષ્ફળ ગઈ. બહુ શોધખોળ કર્યા બાદ પણ ઘોડા મળ્યાં નહિ. તે દિવસે વળી બધાંને કંઈ આહાર પણ ન મળ્યો. ફળમૂળ શોધતાં શોધતાં માંડ માંડ વનનાં કેટલાંક ફળ મળ્યાં. ફળ તદ્દન અજાણ નામ ગોત્ર વગરનું, છતાં ય ભૂખ્યા મોંમાં અમૃત જેવાં લાગ્યાં. રાજા અને સાથીદારોએ બધાં ફળ આરોગ્યા. ત્યાર પછી તેની પ્રતિક્રિયા શરૂ થઇ. બધાને ઉલટી થવા માંડી અને માથું ભમવા લાગ્યું. કોઈને ચાલવાની શક્તિ જ ન રહી. ખાસ કરીને રાજાનું શરીર એટલું અસ્વસ્થ હતું કે તેમના હાથ પગ ઢીલાઢફ થઇ ગયા. ઘોડાઓ પણ ક્યાંય ભાગી ગયા છે. રહી છે માત્ર પાલખી. કેવી રીતે રાજધાનીમાં પાછા ફરવું એ જ બધાને ચિંતા છે. ગમે તે ઉપાયે રાજાને નગરીમાં પહોંચાડવા પડશે. તેથી બધા ચિંતામાં પડી ગયા. એક સાથીદારે કહ્યું : ‘આપને મહારાજને એક પાલખીમાં લઇ જઈશું. પરંતુ પાલખી ઉપાડવા માટે હજુ એક સ્વસ્થ માણસ ખૂટતો હતો. આવા ગાઢ જંગલમાંથી માણસ ક્યાંથી મળે? છતાં ય મનમાં આશા હતી.સાથીદારો ચોથા માણસની શોધમાં નીકળી પડ્યા. ગાઢ વનમાં તેઓ ચાલ્યે જાય છે. ઘણો એવો માર્ગ પસાર કર્યો ત્યારે અચાનક એક વિશાળ તળાવને જોયું. કમળપત્રો પ્રસ્ફૂટિત થયાં છે. ચારેકોર સુંદર વિશાળ વૃક્ષો છે. સ્નિગ્ધ સુંદર વાતાવરણ છે. એક સાથીદાર બોલ્યો: જુઓ, અહીં વન્ય પશુઓ પાણી પીવા આવે. આપને રખેને, તેનો કોળિયો ન થઇ જઈએ. તો પણ તેઓ હિંમત કરીને તળાવ તરફનાં પગલાં જોઈને ચાલવા લાગ્યા. તેમણે નિરીક્ષણ કર્યું કે આ તો માણસનાં પગલાં છે. તો પછી શું આસપાસમાં જ કોઈ માણસ રહે છે? અચાનક થોડે દૂર નજર પડતાં જ તેઓ આનંદથી બોલી ઊઠ્યા: સામે એક કૂટિર છે. ખરેખર, ખજૂરનાં પાંદડા પાથરીને એક સુંદર કૂટિર બનાવેલી છે. ચારેકોર ફૂલના છોડ પણ છે. અચાનક કુટિરનો દરવાજો ખુલી ગયો. તેઓએ જોયું કે સામે એક વનવાસી સાધુ ઊભા છે. દીર્ઘકાય, મોઢા પર દાઢી અને બંને આંખો કેવી ઉજ્જવળ ! જાણે તેમની સામે જોઈ શકાય નહિ. તદુપરાંત મોં પર પ્રસન્ન હાસ્ય માઠા પર જટા પણ છે. બધાએ સાધુને આનંદથી પ્રણામ કર્યા. મનમાં આશા રાખે છે કે આમની સહાયથી જો રાજાને વનમાંથી બહાર લઇ જઈ શકીએ તો ગંગ નાહયા. પરંતુ પાલખીની વાત સાધુને કઈ રીતે કહેવી ? સાધુને તો પાલખી ઉપાડવાનું ન કહી શકાય. એમ કહેવું તો અપરાધ ગણાય. વળી રાજા એ વાત જાણે તો ધડથી માથું ઉડાવી દે. પરંતુ સાધુએ સામે ચાલીને જ પૂછ્યું: ‘શું વાત છે ભાઈ? કોઈ જાતની દ્વિધા ન રાખો. મને બધી વાત કહો.’ સાધુના કંઠ-સ્વરમાં એક ગજબનો જાદુ છે. તેઓએ કડી આવો ગંભીર, મૃદુ સ્વર સાંભળ્યો ન હતો. ન છૂટકે તેઓ બોલ્યા : દેશના રાજા અમારી સાથે આવ્યા છે. વનફળ ખાવાથી તેઓ બધા કરતાં વધારે અસ્વસ્થ થઇ ગયા છે. તદુપરાંત અમારા ઘોડા અચાનક ક્યાંક નાસી છૂટ્યા છે. અમારાં અહોભાગ્ય કે અમે આવી વિપત્તિમાં આપનાં દર્શન પામ્યા. આપ અમને આશીર્વાદ આપો કે અમે કોઈપણ મુશ્કેલી વગર રાજાને મહેલમાં લઇ જઈ શકીએ. અરે, એમાં આટલા ગભરાવ છો શા માટે? પાલખીમાં રાજાને લઇ જવા તૈયાર થાવ. તમે ત્રણ જણા તો છો, હું હોઠો તમારી સાથે રાજાને ઊંચકીને મહેલમાં લઇ જઈશ. ના, ના મહારાજ ! આપને અમે પાલખી ઉપાડવા ન દઈ શકીએ. એમ કરીએ તો મોટો અપરાધ થાય અને જ્યારે રાજા જાણશે ત્યારે તેઓ પણ અમને આ કામ માટે સજા આપશે. ત્યારબાદ સાધુના મુખ પર હાસ્ય છવાઈ ગયું. તેમની બંને આંખોમાં કેવો પ્રેમ અને કરુણા ! તેઓ બોલ્યા: તમારે કોઈ બાહ્ય રાખવાનો નથી. હું તો સ્વેચ્છાએ તમને સહાય કરવા આવ્યો છું. ચાલો, રાજા પાસે લઇ જાવ. રાજા એટલા બધા અસ્વસ્થ હતા કે ચાર જણા પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા ત્યારે તેમને આંગતુકની તરફ જોવાની પણ શક્તિ ન હતી. તેથી સાથીદારો આવી સ્થિતિમાં રાજાની પાલખી લઈને રવાના થયા. લગભગ સમી સાંજે સાથીદારોએ એક વૃક્ષની નીચે પાલખી મૂકી. બધા થાકેલા અને ભૂખ્યા પણ છે. સાધુનું મુખ શાંત છે. અને તેમના ચહેરા પર પરમ શાંતિ અને તૃપ્તિ છે. તેમણે કહ્યું: આગળ જાવ –ફળ મળશે. ત્યારબાદ તેઓ આગળ ગયા અને તેમણે એક આંબાનું જાળ ફળોથી ભરપૂર જોયું. મન ભરી તેમણે આનંદપૂર્વક ફળ પાડ્યાં અને રાજાને ખવડાવી પોતે પણ ખાધાં. બધા ઝાડ નીચે સૂતા અને થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. સાધુ આ બધાંને જુએ છે. સાધુએ એક કેરી ભગવાનને નિવેદન કરી અને પોતે પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યારબાદ સાધુ ઝાડ પાસેની એક શિલા પર બેઠા. સૂતેલા લોકોનો પહેરો બહ્રવો પડશે. જોતજોતામાં રાત્રિનું અંધારું છવાઈ ગયું. નિસ્તબ્ધ અરણ્યમાં કોઈ જાતનો આવાજ નથી. સાધુ ધ્યાન-મગ્ન. તેમની ચોપાસ જાણે આનંદની શીળી છાયા-તેમાં રાજા ને સાથીદારો નિરાંતે ઊંઘી રહ્યા છે. સાધુની ચેતના અંતર્મુખ છે. સર્વવ્યાપી, અન્તર્યામીએ જાણે આ ગાઢ વનમાં પોતાની ચૈતન્યરૂપી શય્યા બિછાવી છે ! મહાચૈતન્યનો પ્રકાશ આ વિરાટ પ્રકૃતિમાં અને સૃષ્ટિની જીવસૃષ્ટિમાં પથરાયો છે. આટલાં વર્ષો બાદ આ સાધકને વિરાટના ધ્યાનમાં. જે સર્વ, સર્વત્ર પરિવ્યાપ્ત આકાશ જેવા છે, પ્રત્યેક જીવમાં જેનો વાસ છે તે … Read more